સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગરને જોડતો ભોગાવા નદી પરનો કોઝ–વે ચોમાસામાં તુટી ગયો હતો. સુરેન્દ્રનગર ભોગાવા નદી કાંઠે હાલ કોઝવે બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આથી નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોલીયા અને સદસ્યોની ટીમ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. જેમાં એસટી બસ સ્ટેશનથી જિલ્લા પંચાયત સુધી રીવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત જોરાવરનગર, આર્ટસ કોલેજનો કોઝવે બની ગયો છે. જયારે આંબેડકર ચોકથી રતનપર રેલવે બ્રીજ સુધીના કોઝવેની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ભોગાવા નદીકાંઠે હાલ કોઝવે બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ નદીમાં ડાયવર્ઝન અયોગ્ય હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ અંગે આંદોલનની ચીમકી સાથે ઘનશ્યામભાઈ પરમાર, અશોકભાઈ પારેખ વગેરે દ્વારા રજુઆત કરાઈ હતી. આ ઉપરાંત કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની કલેકટરને લેખિત તાકીદ કરવામાં આવી છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ