Abtak Media Google News

શહેરનાં કાલાવડ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે હાલ અમેરિકા નિવાસી રાજકોટ જીલ્લા બેંકના નિવૃત વહિવટી મેનેજર કેશુભાઈ વેકરીયા દ્વારા સંસદસભ્ય અને ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્વાસ્થ્ય માટે સંત ભોજન તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહાસભા સ્નેહમિલનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રખર વકતા અપૂર્વમુનિ સ્વામી તથા રાજકોટ મંદિરના કોઠારી સ્વામી અને બ્રહ્મતીર્થ સ્વામીએ આશીર્વચન પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે કેશુભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજની અસીમ કૃપાથી અને મહંત સ્વામીના આશીર્વાદથી તેમના ત્રણ સંકલ્પો સિઘ્ધ થયા છે. જેમાં પતિ-પત્ની બન્નેને અમેરીકાનું સીટીઝન શીપ મળેલ છે.

તથા પુત્ર સોહીલકુમારને કંપની તરફથી બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ તથા પુત્રવધુ ધૃતીબેનને પોતાની ફિલ્ડની જોબ મળેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા, ડિરેકટર બકુલભા, એ.આર.વિડજા, બાલુભાઈ સરાડવા, બેંકના જનરલ મેનેજર વી.એમ.સખીયા સહિતના રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકના તમામ નિવૃત કર્મચારીગણ તેમજ બેંકના તમામ મેનેજર ઉપરાંત અમેરીકા સ્થિત શિકાગો ગ્રુપ તથા સ્નેહી-મિત્રો સંબંધી સહિત ૮૦૦ થી ૧૦૦૦ વ્યકિતઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.