Abtak Media Google News

હાલ ચોમાસુ વાતાવરણમાં હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના બનાવો વધ્યા છે. આજ રોજ રાજ્યના સિરમૌર જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે અડધો પહાડી વિસ્તાર જ જમીનમાં સમાઈ ગયો હતો. એટલું જ નહીં 100 મીટરનો રસ્તો આંખના પલકારામાં જ ગાયબ થઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

પાંડતા સાહિબથી રોહરૂ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 707 બડવાવાસ નજીક લગભગ 100 મીટર સુધીનો આખો રસ્તો ધડામ દઈ પડી ગયો. પાઓન્ટા, સાટોનથી કામરાઉ, કફોટાથી શિલાઇ તરફના વૈકલ્પિક માર્ગો કિલોદ-ખેરવા (ઉત્તરાખંડ) માશુ-ચ્યોગ-જખ્ના થઇને પહોંચી શકાય છે. વહીવટીતંત્રનું કહેવું છે કે રસ્તો પુન: શરૂ કરવામાં બેથી ત્રણ દિવસ લાગી થશે.

Vlcsnap 2021 07 30 14H22M57S860

જણાવી દઈએ કે હિમાચાલ પ્રદેશના પાંચ જિલ્લાઓમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. 2 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જારી કરી દેવાયું છે. અને 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ખરાબ હવામાન રહેશે તેમ આગાહી કરવામાં આવી છે. શુક્રવારે ચંબા, મંડી, કુલ્લુ, સિમલા અને સોલનનાં પાંચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.