Abtak Media Google News

બૉલીવુડ અને ઢોલિવૂડમાં અફવાઓનો દોર ચાલતોજ હોય છે , વધુ એક અફવા ઢોલિવૂડના સ્ટારની ફેલાતી જોવા મળી રહી છે.  ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે જાણીતા ચહેરા આ યાદીમાં જોડાઈ ચૂક્યા છે. `છેલ્લો દિવસની ચહિતી જોડી રીયલ લાઈફમાં પણ કપલ બની ગયા છે. હા, યશ સોની અને જાનકી બોડીવાલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં પ્રેમ વ્યક્ત કર્યો છે.તેવી અફવાએ જોર પકડ્યું હતું

બંનેને તેમના પરિવારના પણ આશીર્વાદ મળી ગયા છે. કપલે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કર્યા હતા. આ ખબર સાંભળી માત્ર ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ફેન્સ પણ ખુશ થયા છે અને તેમના પર અભિનંદનનો વરસાદ કર્યો છે. ‘છેલ્લો દિવસ’ની આ જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારે બંને એ પોતાના સંબંધને જાહેરમાં સ્વીકૃતિ આપી દીધી છે.પણ આ સત્ય નથી  આ પોસ્ટ માત્રને માત્ર એક અફવા હોવાનું સામે આવ્યું છે.

Screenshot 43

અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાની 17 જૂનના રોજ નાડી દોશ નામની પીકચર થિયેટરોમાં રીલીઝ થવા જઈ રહી છે. આ પીકચર અનનતા બિઝનસ કોપ એન્ડ શુક્લા સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવશે. બિગ બોક્સ સીરિઝ દ્વારા પ્રોડકશન કરવામાં આવ્યું છે. નાડી દોશ પીકચરના  લેખક અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે. અને પ્રોડૂયુશર મુન્ના શુક્લા, નિલય ચોટાઈ,અને હર્ષદ શાહ છે.

Screenshot 45

લેખક અને ડિરેક્ટરકૃષ્ણદેવ યાજ્ઞિક એક ભારતીય ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક છે, જે મુખ્યત્વે ગુજરાતી સિનેમામાં તેમના કાર્યો માટે જાણીતા છે. તે છેલ્લો દિવસ (2015), કરસનદાસ પે એન્ડ યુઝ (2017), અને શુ થયુ જેવી ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે? (2018). શુ થયુ? અને છેલ્લો દિવસ અનુક્રમે ત્રીજી અને ચોથી સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મો છે. તેમણે 2016માં ડેઝ ઓફ તાફ્રી નામની તેમની ફિલ્મ છેલ્લો  દિવસની હિન્દી રિમેકનું પણ નિર્દેશન કર્યું છે.

તેમણે બેલ્વેડેર ફિલ્મ્સ નામના ફિલ્મ પ્રોડક્શન હાઉસની સહ-સ્થાપના કરી, જે હેઠળ શુ થયુ?, છેલ્લો દિવસ અને કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું હવે તેઓ 17 જૂનના રોજ નાડી દોશ પીકચર રીલીઝ કરવા જઈ રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.