Abtak Media Google News

સંબંધ રાખવા અને લગ્ન કરવા દબાણ કરી ત્રાસ આપતા બે પુત્રીના પિતાએ ઝેર પી જીવન ટુંકાવ્યું

ધોરાજીના પીપરવાડી પીપળેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા યુવાનને મરવા મજબુર કરનાર યુવતી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના પીપરવાડી પીપળેશ્વર મંદિર પાસે રહેતા અનિલભાઈ ભીખાભાઈ બાલધા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક અનિલભાઈના પત્ની ઈલાબેને કુંભારવાડામાં રહેતી મનીષાબેન બાબુભાઈ બાલધા નામની યુવતીના ત્રાસથી આ પગલું ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અનિલભાઈ ધોરાજીની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને ઘણા સમયથી મનીષાબેન નામની યુવતી ધરાર સંબંધ રાખવા ફરજ પાડી લગ્ન કરવા દબાણ કરતી હતી. અનિલભાઈએ સંબંધ રાખવાની ના પાડતા ત્રાસ આપી અને બ્લેક મેઈલ કરતા હોવાથી કંટાળી આ પગલું ભરી લેતા બે પુત્રીએ પિતાની છત્રછાયા

ગુમાવી છે. ધોરાજી પોલીસે મનિષાબેન સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઈ જે.બી.મીઠાપરા સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.