Abtak Media Google News

ભાજપ આગેવાનોએ આતશબાજી અને લોકોના મોં મીઠા કરાવીને ઉજવણી કરી

સરદાર વલ્લભભાઇ પટેલના સ્વપ્નને સાકારકરવા માટે પ્રધાનમંત્રી મોદી તેમજ મુખ્યમંત્રી રૂપાણીના પ્રયત્નોથી રાજકોટની તરસી પ્રજા માટે નર્મદાના નીર આજીડેમમાં લવાયો છે ત્યારે જીલ્લા ભાજપે દુષ્કાળ થશે કાયમ માટે ભૂતકાળ સરકાર સરોવર ડેમના બંધ થયા દરવાજા ગુજરાતના વિકાસના ખુલ્યા નવા દરવાજા ના નાદ સાથે આતશબાજી તથા પ્રજાજનોને મીઠા મોંઢા કરાવીને હશોલ્લાસ મનાવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા ભાજપ અઘ્યક્ષ ડી.કે. સખીયા મહામંત્રી ભાનુભાઇ મેતા અને સાંસદ રાજેશ ચુડાસમા, સીમાબેન જોશી, મીનાક્ષીબેન સોજીત્રા, વિનુભાઇ પરમાર, જીજ્ઞાબેન પટેલ, વલ્લભભાઇ સેખલીયા, હઠીસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, અરવિંદભાઇ સિંધવ, રસીલાબેન સોજીત્રા, હંસાબેન દાફડા, વિજયભાઇ કોરાટ, ગીરીશભાઇ પરમાર, પ્રશાંતભાઇ કોરાટ, આશાબેન ત્રિવેદી, નરેન્દ્રસિંહ જાડેજા, મુનાભાઇ ફુલાણી, મોહનભાઇ દાફડા, જગદીશ બોરીચા, નવીનપરી ગૌસ્વામી, હરેશભાઇ મકવાણા, હિરેનભાઇ જોશી, દીપકભાઇ ભટ્ટ સહીતના કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

આજી નદીના ચેક ડેમ ભરાઇ જતાં કિસાનોને બારમાસી ઉપજ આવશે. કિશાનોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ત્યારે વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ ઉત્સાહ ભેર થઇ રહી છે. તે માટે જીલ્લા કિસાન મોરચા પ્રમુખ વિજય કોરાટ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.