Abtak Media Google News

વિશ્વભરમાં ક્રિકેટની દુનિયાના માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનું માનવું છે કે, એક સમયની ભારતીય ટીમની નબળાઈ આજે તેનું સૌથી મજબૂત હથિયાર બની ગયું છે. ભારતીય ટીમમાં અગાઉ ફાસ્ટ બોલરના નામે ખૂબ ઝુઝ ખેલાડીઓ જ હતા. કપિલ દેવ ભારતીય ટીમમાં પ્રથમ ઓલ રાઉન્ડર હતો જે ફાસ્ટ બોલિંગ કરતો હતો. તે સિવાય સુનિલ ગાવસ્કર અમુક ઓવર ફાસ્ટ બોલિંગ કરતો હતો જે બાદ તરત જ સ્પિન બોલરોને બોલ પકડાવી દેવામાં આવતો હતો. જેથી વિપક્ષી ટીમો ભારત સામે લડવા સ્પિન બોલિંગની જ તૈયાર કરતા હતા.

વિશ્વભરની ટીમોનું માનવું હતું કે, ફાસ્ટ બોલરોની ઘટ્ટ ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ છે. જો કે, ઇંગ્લેન્ડ સામેના બીજા ટેસ્ટમાં ટીમ કોહલીના ૫ બોલરો પૈકી ૪ પેસ બોલરો હતા. જેમણે લાજવાબ બોલિંગ કરી ઇંગ્લિશ ટીમને ૧૫૨ રનથી હરાવી હતી જેનો સ્પષ્ટ અર્થ છે કે, એક સમયની નબળાઈ આજે ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર બની ગયું છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માને છે કે, વર્તમાન ઇંગ્લેન્ડની ટીમ ભારતના વિશ્વકક્ષાના પેસ એટેકથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત છે અને માત્ર તેમનો કેપ્ટન જો રૂટ મોટી સદી ફટકારવા માટે સક્ષમ દેખાય છે. તેમણે કહ્યું કે, જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટે ટોસ જીત્યા બાદ ભારતને બેટિંગ માટે નિમંત્રણ આપ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને એવું લાગ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ભારતના પેસ બોલિંગ આક્રમણથી ગભરાઈ ગઈ છે.  તેંડુલકરે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કેપ્ટન વિરાટ કોહલીના ટેકનિકલ વ્યવસ્થાપન, રોહિત શર્માની નવી બોલ સામે બેટિંગ અને જસપ્રીત બુમરાહની બોલિંગ કે જેના મારફત બે ટેસ્ટમાં ૧૨ વિકેટ ઝડપી હતી, લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ભારતની જીત વિશે વાત કરી હતી.

તેંડુલકરે કહ્યું, જ્યારે મેં જો રૂટને ટોસ જીત્યા બાદ ભારતને બેટિંગ માટે આમંત્રણ આપતા જોયું ત્યારે હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો અને મને લાગ્યું કે આ એક સંકેત છે કે, ઈંગ્લેન્ડ અમારા પેસ બોલિંગ આક્રમણથી ચિંતિત છે.  સાચું કહું તો, મેં શુક્રવારે સવારે ૮ વાગ્યે એક મિત્રને કહ્યું કે, જો હવામાન અનુકૂળ રહેશે તો અમે આ ટેસ્ટ મેચ જીતીશું.  અમારા ઓપનરોને પણ ક્રેડિટ આપવી જોઈએ જેમણે પ્રથમ દિવસે મોટો સ્કોર ખડકયો હતો.

જ્યારે તેમને ઈંગ્લેન્ડની બેટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું આ બેટિંગ યુનિટમાં જો રૂટ સિવાય નિયમિત ધોરણે મોટી સદી રમતા કોઈને જોતો નથી.  કદાચ તે કેટલીક મેચમાં મોટો સ્કોર કરી શકે પરંતુ હું નિયમિતપણે આવી ઇનિંગ્સ વિશે વાત કરી રહ્યો છું.  ભૂતકાળમાં ટીમોમાં એલિસ્ટર કૂક, માઇકલ વાન, કેવિન પીટરસન, ઇયાન બેલ, જોનાથન ટ્રોટ, એન્ડ્રુ સ્ટ્રોસ જેવા ખેલાડીઓ હતા જે સતત સારું રમતા હતા.  મને લાગે છે કે, રૂટે નબળી બેટિંગને કારણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હશે.

જ્યારે રોહિત શર્માની બેટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેંડુલકરે કહ્યું કે, મેં જે જોયું તેનાથી મને લાગે છે કે, તેણે ઘણો સુધારો કર્યો છે અને તેની રમતની બીજી બાજુ બતાવી છે કે તે કેવી રીતે ફેરફાર કરીને પરિસ્થિતિને સાનુકૂળ કરી શકાય છે. આ પ્રવાસમાં રોહિત બેજવાબદારીપૂર્વક પોતાનું મનપસંદ હૂક અને પુલ શોટ રમીને આઉટ થયો હતો પરંતુ તેંડુલકરે તેનો બચાવ કરતા કહ્યું હતું કે, તેણે નેતૃત્વની જેમ લોકેશ રાહુલને ખૂબ જ સારો ટેકો આપ્યો છે. જ્યાં સુધી પુલ શોટ રમવાની વાત છે, તેણે તે શોટ સાથે બોલને ઘણી વખત બાઉન્ડ્રી ઉપર મોકલ્યો છે અને બંને ટેસ્ટમાં તેણે ટીમ માટે શું હાંસલ કર્યું છે તે હું જોઈ રહ્યો છું.

ઉપ કપ્તાન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાએ બીજા દાવમાં સદીની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢયું.  જોકે આ સમયગાળા દરમિયાન તેણે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર આ ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું, જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે ૨૮ રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. જેને ધ્યાનમાં રાખીને તેણે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.  જો આપણે ૬૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી હોત તો મેચ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોત.

તેણે ઈનિંગને માવજત કરવામાં પોતાની ભૂમિકા ભજવી હતી.  જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર તેંડુલકરે કહ્યું કે, વિરાટની શરૂઆત સારી નહોતી.  કેટલીકવાર મનમાં ચાલતી બાબતોને કારણે તકનીકી ભૂલો થઈ શકે છે.  જ્યારે તમને સારી શરૂઆત ન મળે, ત્યારે તમે ઘણી બધી બાબતો વિશે વિચારવાનું શરૂ કરો છો.  આવી સ્થિતિમાં ચિંતાનું સ્તર ,ઉચું હોય છે, તેથી તમે તમારી રમત સાથે નબળી ઇનિંગ્સની ભરપાઈ કરવા માંગો છો.  આવું દરેકને થાય છે.

ભારતીય ટીમની વર્તમાન પેસ બોલિંગની સરખામણી કપિલ દેવ, જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાનના જમાનાની બોલિંગ સાથે કરવા અંગે પૂછતાં તેમણે કહ્યું કે, આજે આ બોલિંગ આક્રમણ વિશ્વમાં શ્રેષ્ઠ છે.  તે માવજત પર પ્રતિભા, શિસ્ત અને સખત મહેનત અને વધુ શીખવાની ઇચ્છા દર્શાવે છે.  મને બીજા યુગ સાથે સરખાવવાનું ગમતું નથી કારણ કે બોલિંગ આક્રમણનો પણ બેટ્સમેનો દ્વારા ન્યાય કરવો જોઈએ જે તેમની સામે બેટિંગ કરી રહ્યા છે.  કપિલ કે શ્રીનાથ કે ઝહીરના સમયગાળા દરમિયાન તેમની સામે અલગ અલગ બેટ્સમેનો હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નિરાશાજનક બોલિંગ બાદ વેગ મેળવનાર જસપ્રિત બુમરાહ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે, મને લાગ્યું કે ડબલ્યુટીસી ફાઇનલ પહેલા બુમરાહને લાંબા સ્પેલ માટે પૂરતી પ્રેક્ટિસ મળી નથી.  તે એક પ્રકારનો બોલર છે જે વધુ સારી બોલિંગ કરશે.  તેની પાસે માત્ર મોટું હૃદય જ નથી પણ મગજ પણ છે અને અમે ગઈકાલે તેને જોયું જ્યારે તેણે ઓલી રોબિન્સનને અદભૂત ધીમી ડિલિવરી સાથે આઉટ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.