Abtak Media Google News

માજના બહેનો-દિકરીઓ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરાયું

ધોરાજી રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન અને રાસોત્સવ નું આયોજન રવિવાર નાં  સાંજે ધોરાજી નાં માતુશ્રી લાડુમા લોહાણા મહાજન વાડી જુનાગઢ રોડ ધોરાજી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં  વડીલો , માતાઓ , ભાઈઓ , બહેનો , બાળકો , તથા યુવાનો પરંપરાગત પોશાક માં ખુબ જ હર્ષ અને ઉમળકા સાથે ભેગાં  થઈ નવાં વર્ષ નાં એક બીજા ને શુભેચ્છા સહ અભિવાદન કાર્યક્રમ તથા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા સમાજ નાં બહેનો દિકરીબાઓ સમાજ ની પરંપરા અનુસાર રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે સ્નેહ મિલન ભોજન સમારંભ રાસોત્સવ તલવાર રાસ દાતાઓ આગેવાનો આમંત્રિત મહેમાનો સન્માન સમારોહ  જેવાં કાર્યક્રમ ધોરાજી રાજપૂત (ક્ષત્રિય)સમાજ દ્વારા આજરોજ રવિવારે સાંજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો  આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ દાતાઓ અને રાજપૂત (ક્ષત્રિય)સમાજ નાં પરીવારો જનો આ કાર્યક્રમ માં ઉમળકા સાથે ભેગાં થયાં હતાં.

આ સમગ્ર કાર્યક્રમ નો સફળ બનાવવા માટે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ નાં તમામ કાર્યકર્તા ઓ હોદ્દેદારો અને વડીલો ભારે જહેમત ઊઠાવી હતી આ તકે  પ્રતાપ સિંહ જાડેજા , બી યુ જાડેજા ચીફ ઓફિસર ધોરાજી , અરવિંદ સિંહ જાડેજા પીએસઆઇ , પ્રતિપાલ સિંહ જાડેજા , મનોહરસિંહ પરમાર , ગંભીર સિંહ વાળાં , ઘનશ્યામ સિંહ જાડેજા , કિરીટસિંહ ઝાલા , હરપાલસિંહ જાડેજા , ક્રીપાલ સિંહ જાડેજા , ભગીરથસિંહ ચુડાસમા , હરપાલસિંહ ચુડાસમા , વિક્રમ સિંહ ચુડાસમા , નરેન્દ્ર સિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.