Abtak Media Google News

રાજકોટ રણુજાનગરમા જુના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અબતક,રાજકોટ

રાજકોટના મોરબી રોડ પર રહેતા અમિત ચંદુભાઈ ઉમરાણીયા (ઉં.વ 29)એ ગઈકાલ સવારના ઘરેથી નીકળી ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેના જૂના ઘર રણુજાનગરમાં તપાસ કરતા અહીં યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પરિવારજનોએ 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. આપઘાત કરતા પૂર્વે યુવાને લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, હું મનથી થાકી ગયો છું જેથી આ પગલું ભરું છું.બનાવની જાણ આજીડેમ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જીવનથી કંટાળીને યુવાને આ પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આપઘાત કરી લેનાર યુવાન લુહારી કામ કરતો હતો અને તેને સંતાનમાં ચાર વર્ષની પુત્રી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આજીડેમ પોલીસ દ્વારા યુવાનનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.