Abtak Media Google News

સંયમ અનુમોદના જાગૃતિ રેલીમાં ‘જૈનમ્ જયંતિ શાસનમ્’નો નાદ ગુંજી ઉઠયો

તાજેતરમાં સેંકડો શાસન સેવકો મો સાફા પહેરીને જૈનત્વનો ધ્વજ લહેરાવતાં આગામી ૦૯.૧૨.૨૦૧૮નાં યોજાનાર ભાગવતી જૈન દીક્ષા મહોત્સવની શાસન પ્રભાવનાં કરતાં કરતાં રાજકોટનાં રાજમાર્ગો પર હરોળબંધ નીકળતા ‘જૈનમ જયતિ શાસનમ્’નો નાદ ગુંજી ઉઠેલ.

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રાજકોટના જૈન યુવક મંડળના યુવાનોએ રાજકોટની બે દીકરીઓ મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળાની ભાગવતી જૈન દીક્ષા મહોત્સવની જોરદાર પ્રભાવના કરવાનું બીડું ઝડપ્યું હતું.

રોયલપાર્ક ઉપાશ્રયી ગત શનિવારે બપોરે ૦૪.૦૦ કલાકે રાષ્ટ્રસંત પૂજ્યનાં મુખેથી માંગલિક શ્રવણ કર્યાં શાસન સેવકોની રેલી ઈન્દીરા સર્કલ, મહિલા કોલેજ, કિશાનપરા ચોક, અકીલા સર્કલ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચના મંદીર, હરિહર ચોક, જ્યુબેલી ચોક, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, લાખાજી રોડ, ભૂપેન્દ્ર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, ભૂતખાના, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, ધર્મેન્દ્ર કોલેજ ઈને સરદારનગર મેઈન રોડ, અમીન રોડ ઈને શાસન પ્રભાવના અને સંયમ પ્રભાવના કરતી મોડી સાંજે રોયલપાર્ક ઉપાશ્રય પરત પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.