Abtak Media Google News

તા. ..૨૦૨૩  મંગળવાર

સંવંત ૨૦૭૯  જેઠ વદ ત્રીજ

 નક્ષત્ર: પૂર્વાષાઢા

યોગ: શુક્લ  

 કરણ: વણિજ

 આજે  જન્મેલાંની ચંદ્રરાશિ ધન ( , , , ) રહેશે.


મેષ (,,): ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (,,): ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (,,): ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (,): શત્રુઓથી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .


સિંહ (,): સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (,,): જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.  

તુલા (,):  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્યમાં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (,): આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (,,,): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (,): ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળીને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (,, ): સગા સ્નેહી મિત્રોથી સારું રહે,કાર્યમાં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.    

મીન (,,,): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

 

 ગોચર ગ્રહો મુજબ શનિ વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે નિર્માણાધીન બાંધકામમાં તકલીફ પડે,વિવાદ માં આવે અને બાંધકામમાં નુકસાન થાય તે મુજબ બિહારમાં ગંગા નદી પર બની રહેલ પૂલ તૂટી પડ્યો છે અને આ ઉપરાંત પણ અનેક નિર્માણાધીન ઇમારતો અને બાંધકામમાં વિવાદ અને પ્રશ્નો શરુ થઇ રહ્યા છે તો અનેક કાર્ય રિપીટ કરવા પડી રહ્યા છે જે વક્રી શનિ બાબતમાં અત્રે લખેલ હતું.

ગોચર ગ્રહોની વાત કરીએ તો મેષ રાશિમાં બની રહેલ ગુરુ રાહુ ચાંડાલ યોગ અંશાત્મક રીતે ખુબ નજીકથી પસાર થઇ રહ્યા છે અને ઓડિસા ટ્રેન દુર્ઘટના વખતે આ યુતિ અંશાત્મક રીતે એકદમ નજીક હતી હવે ધીમે ધીમે ગુરુ મહારાજ મેષ માં આગળ વધી રહ્યા છે જયારે રાહુ વક્ર ગતિએ મીન તરફ જઈ રહ્યા છે. ૧૫ જૂને  ગ્રહોના રાજા સૂર્ય મહારાજ બુધના ઘરની મિથુન રાશિમાં પ્રવેશ કરશે મિથુન એ કમ્યુનિકેશનની રાશિ છે સંદેશા વ્યવહારની રાશિ છે.

રાજા સૂર્ય જયારે અહીં થી પસાર થાય ત્યારે અન્ય લોકોના કમ્યુનિકેશન પર ધ્યાન રાખે છે અને ઘણા કિસ્સામાં કમ્યુનિકેશન પર જાસૂસી થવાના કિસ્સા પણ બહાર આવી શકે છે આ ઉપરાંત મહદ્દ અંશે વિશ્વમાં ઘણી બાબતો ગુપ્ત વાતચીતના આધારે બહાર આવતી પણ જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.