Abtak Media Google News

ખોડીયારપરામાં ત્રણ જેટલા શખ્સોએ યુવાનને લમધાર્યો: સારવાર અર્થે સિવિલ ખસેડાયો

તાપમાનની સાથે જાણે કળિયુગનો પારો પણ ચડતો હતો હોય તેમ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં કામ બાબતે ઠપકો આપતા યુવાને માતા અને બહેનને માર માર્યો હતો.માતા-પુત્રીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ ખોડીયારપરામાં પણ ત્રણ જેટલા શખ્સોએ યુવાનને માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતી જ્યોત્સનાબેન વિનોદભાઈ કબીરા (ઉ.વ.50) અને તેની પુત્રી દિપાલીબેન વિનોદભાઈ કબીરા (ઉ.વ.25) મધરાત્રે પોતાના ઘરે હતી.

ત્યારે કામ બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી રવિ વિનોદ કબીરાએ માતા અને બહેનને માર માર્યો હતો. માતા પુત્રીને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ખોડીયારપરામાં રહેતા વિજય નવલસિંહ ડાભી (ઉ.વ.28) સાથે જાગા,હીરા સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.