Abtak Media Google News

તા. ૨૭.૧.૨૦૨૪ શનિવાર, સંવંત ૨૦૮૦, પોષ વદ વદ બીજ, આશ્લેષા નક્ષત્ર, આયુષ્ય યોગ, તૈતિલ કરણ

આજે બપોરે ૧.૦૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે.

મેષ (અ, લ, ઈ): આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

Advertisement

વૃષભ (બ, વ, ઉ): જમીન મકાન વાહન સુખ સારું રહે,  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

મિથુન (ક, છ, ઘ):  તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

કર્ક (ડ, હ): બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

સિંહ (મ, ટ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

કન્યા (પ, ઠ, ણ): લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

તુલા (ર, ત): જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

વૃશ્ચિક (ન, ય):  વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

ધન (ધ, ભ, ફ, ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

મકર (ખ, જ):  કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

કુંભ (ગ, સ, શ): આંતરિક જીવનમાં સારું રહે, સબંધોમાં સુલેહથી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ન લેવા સલાહ છે.

મીન (દ, ચ, ઝ, થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ન ચાલવું, મધ્યમ દિવસ.

તમારા જન્મનક્ષત્રના અતિમિત્ર નક્ષત્રમાં જન્મેલા લોકો તમને ખુબ ચાહે છે

જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર પદ્ધતિ બારીક ફળકથન કરવામાં જરૂરી બને છે. વળી જન્મનક્ષત્રનું વિશેષ મહત્વ છે અને તમારા જન્મનક્ષત્રના અતિમિત્ર નક્ષત્રમાં જન્મેલા લોકો તમારા  જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં અનેક જાતકના જીવનમાં  અતિમિત્ર નક્ષત્રના જાતકની મહત્વની ભૂમિકા જોઈ છે. મારા એક ક્લાયન્ટ ખુબ આર્થિક સંકટમાં આવી ગયા હતા અને કોઈ રસ્તો સૂઝતો ના હતો અને છેલ્લે આત્મઘાત સુધીના વિચાર  કરી લીધા હતા એ સમયે તેના એક કઝીન બનેવીએ અચાનક જ તેમના કેઈસમાં રસ લીધો અને કટોકટી સમયે મોટી આર્થિક મદદ કરી તેમને સંકટમાં થી ઉગારી લીધા આ કેઈસ મારી પાસે આવ્યો ત્યારે મેં જોયું કે જાતકના નક્ષત્ર થી તેમના કઝીન બનેવીનું નક્ષત્ર અતિમિત્ર થતું હતું એટલે કે જાતક વિશાખા નક્ષત્રમાં જન્મેલ હતા અને તેમના બનેવી શતતારા નક્ષત્ર માં જન્મેલા હતા આ ઉપરાંત મેં સેંકડો કેઈસ માં એવું પણ નોંધ્યું છે કે જો અતિમિત્ર નક્ષત્રમાં કોઈ શુભ ગ્રહ પડ્યો હોય તો પણ તે જાતકને મદદરૂપ થાય છે વળી આ વ્યક્તિઓ તમારા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અને સંકટ સમયે પણ તમને એકલા છોડતા નથી અને કોઈ પણ ભોગે બહાર લાવે છે.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.