Abtak Media Google News

તા. ૭.૧૨.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ દશમ, હસ્ત  નક્ષત્ર, આયુષ્ય   યોગ, વણિજ  કરણ આજે    જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ,ઠ,ણ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ)       : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

–. લગ્ન એ બે વ્યક્તિનું નહીં પણ બે પરિવારનું મિલન છે

આજના યુગમાં લગ્નજીવન શરુ કરતા પહેલા પુરુષ અને સ્ત્રી બંને ગભરાતા હોય છે! સમય એ પ્રકારનો છે કે જરા પણ સોળ સત્તર થાય તો લગ્નજીવન ભંગાણ પર પહોંચી જાય છે અને મારા વર્ષોની જ્યોતિષ પ્રેક્ટિસમાં છેલ્લા પાંચેક વર્ષમાં બ્રેકઅપનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે માટે લગ્ન મેળાપક વિશેષ જરૂરી બનતા જાય છે જો કે ઘણા વાલીઓ માત્ર ઓનલાઇન દોકડા જોઈને આગળ વધતા હોય છે પરંતુ આ રીતે આગળ વધવું જોખમી છે. લગ્ન મેળાપકમાં દોકડા સિવાય મંગળ, શનિ, ગુરુ ,શુક્રની ભૂમિકા જોવા પડે છે અને ખાસ નવમાંશ પણ ચેક અને મેચ કરવી પડે છે વળી નાડીદોષ જેવા અનેક પહેલુંને બારીકાઇ થી તપાસી આગળ વધવું હિતાવહ છે. લગ્ન એ બે વ્યક્તિ નહીં પણ બે પરિવારનું મિલન છે વળી આ લગ્નથી નવો એક પરિવાર બનવાનો છે એ વિભાવના ખ્યાલમાં રાખી મેચ કરવું જોઈએ અને સુજ્ઞ જ્યોતિષીઓ નક્ષત્ર,ગુણ , નાડી, મંગળ, સ્વભાવ,  લાગણી,  દાંપત્યસુખ,  સંતાન સુખ આ દરેક બાબતનો વિગતવાર વિચાર કરીને આગળ વધે છે! માટે લગ્ન મેળાપક એ હળવાશથી લેવા જેવો વિષય નથી વળી લગ્ન મેળાપક સાથે જાતે કરી શકાય એવા કેટલાક શુભ ઉપાયો કરવાથી પણ લગ્નજીવન સારું વીતે છે પરંતુ આ પહેલા તમામ પાસા બારીકાઇથી તપાસી નિર્ણય કરવો જોઈએ.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.