Abtak Media Google News

તા. ૨૦..૨૦૨૩ મંગળવાર

સંવંત ૨૦૭૯ અષાઢ સુદ બીજ

આષાઢી બીજ

નક્ષત્ર: પુનર્વસુ  

યોગ: ધ્રુવ

કરણ: તૈતિલ

 આજે સાંજે .૦૦ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  મિથુન (,,) ત્યારબાદ કર્ક (,)  રહેશે.

મેષ (,,): પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (,,): નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (,,):  ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (,) : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (,) : કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ   રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા ( , ,) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક  કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.  

તુલા (,)  અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક ( ,) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (,,, ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે  મતભેદ દૂર કરી શકો.

મકર (,) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ ( ,,) :હિત શત્રુઓથી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.    
મીન (,,,): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

 

હાલમાં શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે. શનિ મહારાજ એક રાશિમાં અઢીવર્ષ સુધી ભ્રમણ કરે છે,  જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં હોય તે સ્થાનથી તે ત્રીજા, સાતમા અને દસમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે. શનિ જ્યારે જન્મરાશિના બારમા ભુવનમાંથી પસાર થાય ત્યારે જાતકને મોટી પનોતી શરૂ થાય છે.જેને સાડા સાતી તરીકે ઓળખવામાં આવે છે.

જ્ન્મ રાશિથી શનિ ચોથા સ્થાનમાં આવે ત્યારે જાતકની નાની પનોતી શરૂ થાય છે. અને તે અઢી વર્ષ સુધી રહે છે. જન્મરાશિથી આઠમા સ્થાનમાથી શનિ પસાર થાય ત્યારે પણ અઢી વર્ષ સુધી પનોતી રહે છે. જેને નાની પનોતી કહેવાય છે,  શનિ સંઘર્ષ અને મહેનત સૂચવે છે, ગોચર ગ્રહોની વાત કરીએ તો મંગળ મહારાજ સિંહ રાશિમાં ૩૦ જૂનના પ્રવેશ કરશે જેથી ઘણા દેશમાં લશ્કરી તાકાતો હાવી થતી જોવા મળે અને સેનાનું પ્રભુત્વ વધતું જોવા મળે સમયમાં  વિશ્વસ્તરે થોડો તનાવ વધારી શકે અને સત્તા માટે ખેંચતાણ જોવા મળે વળી મોટા ડેમ તથા જાયન્ટ કન્સ્ટ્રક્સન બાબતે વિશેષ સાવચેતી રાખવી પડે.

મંગળ જમીન છે તેના પર અન્ય ક્રૂર ગ્રહોના પ્રભાવથી ભૂકંપથી સાવચેતી રાખવી પડે. જન્મકુંડળીમાં જયારે મંગળના કારણે તકલીફ પડતી હોય ત્યારે માટીના શિવલિંગ બનાવી તેની પૂજા કરવી જોઈએ.  


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

        ૭૯૯૦૫૦૦૨૮૨

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.