સૂર્યાસ્ત બાદ ગણપતિ દાદાનું પૂજન કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે

પંચાગ ના નિયમ પ્રમાણે પોષ વદ  ત્રીજ ને તારીખ 10.1.23 ના મંગળવારે અંગારકી ચોથ છે – સંકષ્ટ ચતુર્થી છે  . સામાન્ય રીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે . પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે.

મંગળવારે સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ રહેવો . ઉપવાસમાં આખો દિવસ ફળ  દુધ , દહીં , છાશ લઈ શકાય , તે સિવાયની વસ્તુઓ લેવી નહીં . દિવસ આથમ્યા પછી ગણપતીદાદાનું પૂજન કરવું . પૂજનમાં દાદાને દુર્વા , લાલ ગુલાબની પાંખડી ચડાવવી વધારે ઉત્તમ ગણાય . પૂજન પૂર્ણ થયા બાદ ગણપતીદાદાને ભાખરીના ગોળવાળા 21 લાડુ અર્પણ કરવા. 11 અથવા 7 લાડુ પણ ધરી શકાય નાના લાડુ પણ બનાવી અને ધરી શકાઈ છે ત્યારબાદ આરતી કરી ચંદ્ર દર્શન કરી પછી ધરાવેલા લાડુ અને દહીં , છાશનો પ્રસાદ લઈ શકાય.

લોકોને જીવનમાં વારંવાર મુસીબતો આવતી હોય અને જેવોને પોતાના રહેવા માટેનું મકાનનો હોઈ વ્યાપાર – ધંધામાં નોકરીમાં મુસીબત હોય તથા જેની કુંડળીમાં મંગળ ભારે હોય , મંગળ દોષ હોય , મંગળ નબળો હોય તેવા લોકોએ ખાસ કરીને આ અંગરકી ચોથનું વ્રત કરવું ઉત્તમ ફળ દાયક રહેશ આ અંગારકી ચોથના દિવસે સંકટનાશન ગણપતિ સ્તોત્રના પાઠ કરવા અથવા તો ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા થી જીવનની મુસીબતો દૂર થશે ગણપતિદાદા તેમના વિઘ્નો દૂર કરશે.

ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવામાં આવેલ છે ગણપતિ દાદા એ ચંદ્ર ને વરદાન આપેલું ભાદરવા સુદ ચોથના દિવસે જે લોકો તારા દર્શન કરશે તેઓના ઉપર મુસીબત આવશે તથા તે સિવાયની આવતી ચોથના દિવસે દર્શન કરશે અને મારૂં વ્રત કરશે મારૂં પૂજન કરશે તો તેઓની મુસીબત વિઘ્નો દૂર કરીશ તથા મંગળવારે આવતી ચોથને સંકટ ચતુર્થી કહેવાશે . એક બીજી કથા પ્રમાણે મંગળ ગ્રહ દેવે મંગળવારના દિવસે ગણપતિ દાદાનું વ્રત કરેલું અને ગણપતિ દાદાએ વરદાન આપેલું કે મંગળવારના દિવસે વદ ચોથ તિથી આવશે તો તેને સંકષ્ટ ચતુર્થી કહેવાશે અને આ દિવસે જે કોઈ લોકો મારી પૂજા કરી અને વ્રત કરશે તેમના બધા જ સંકટ દૂર કરીશ આમ સંકટ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાનું પૂજન તથા દાદાને લાડુનો થાળ ધરાવવો તથા ઉપવાસ કરવો જીવનની બધી જ મુસીબતો દૂર થશે  તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોશીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.