ગત મોડીરાત્રે ઉદય શિવાનંદ હોસ્પિટલ માં આઈસીયુ વોર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને એ આગમાં પાંચ નિર્દોષ જીંદગી હોમાઇ હતી. પાંચ પરિવારો માં આક્રંદ સાથે શોકનો માહોલ છવાયો હતો. આજરોજ સમાચાર મળતાની સાથે જ શિવાનંદ હોસ્પિટલ ના ટ્રસ્ટી અશોકકુમાર મહેતા સ્થળ પર દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ કઠણ કાળજે ભળાશ કાઢતા જણાવ્યું હતું કે એડી.કલેકટર પંડ્યા સાહેબે 2 વખત મને રૂબરૂ બોલાવ્યો હતો.બાદ માં કલેકટર સાથે અમે ત્રણ જાણા જેમાં અમારા MD સત્યજીતકુમાર ખાચર, વર્મા સાહેબ અને મેં કલેક્ટર સાથે મિટિંગ કરી હતી. મેનેજીંગ ટ્રસ્ટી અશોકકુમારે જણાવ્યું હતું કે મે ડો.કરમટા અને ત્રિવેદી ને કહ્યું હતું કે આપણે કોવિડ માટે હોસ્પિટલ નથી આપવી. કલેક્ટરે અમને બોલાવી કહ્યું કે કોરોનાનાં કેસો રાજકોટમાં વધતા જાય છે .તમારી હોસ્પિટલ કોવિડ માં આપો. અમે કહ્યું પોહચી શકી તેમજ નથી ત્યારે કલેક્ટરે કહ્યું ઉદય વાળા સંભાળશે તમે આપી દો. તમારો ખર્ચો ભરપાઈ કરી દઈશું.મારુ માન્યા હોત તો આજે આવી ઘટના ન બની હોત. જે પ્રકારે નિર્દોષ લોકોનો આગે ભોગ લીધો છે ત્યારે તમામના મોત પાછળ જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે આગામી દિવસોમાં અધિક મુખ્ય સચિવ દ્વારા શું રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપશે તે જોવું રહ્યું.
Trending
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો