Abtak Media Google News

માંસ, મટન અને મચ્છીના વેંચાણ પર પણ પ્રતિબંધ

આવતીકાલે રામ નવમીના તહેવાર નીમીતે રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં તમામ કત્તલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન અને મચ્છીના વેંચાણ પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ રાજય સરકારના આદેશ અનુસાર રામ નવમીની ઉજવણી ૪ એપ્રિલના બદલે ૫ એપ્રિલના રોજ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મહાપાલિકા દ્વારા ૪ એપ્રિલે કત્તલખાના બંધ રાખવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જે રદ કરવામાં આવ્યું છે અને હવે તા.૫ના બુધવારના રોજ મહાપાલિકા વિસ્તારમાં તમામ પ્રકારના કત્તલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન અને મચ્છીના વેંચાણ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરાવવા તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે બીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.