Abtak Media Google News

રાજકોટથી ગરબી જોઈ મોરબી પરત પહોંચે તે પહેલાં બે કંધોતર કાળનો કોળિયો બનતા પરિવારમાં અરેરાટી

મોરબીના મીતાણા ગામ પાસે રહેલી સવારે એક કારન અકસ્માત નડતા ત્રાજપરના બે જીગરજાન મિત્રોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાન ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજકોટ થી ગરબી જોઈ મોરબી પર જ પહોંચે તે પહેલા જ બે કંધોદર કાળનો કોડિયો બનતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મીતાણા ગામ નજીક ગોળાઈ પાસે જીજે-03-ઇઆર-4200 નંબરની ચાર સવારી સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં કાર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એકનું મોત નિપજ્યુ હતું.વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતના પગલે ટંકારા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા કારમાં નવી પીપળીના જય જીતેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.26) ત્રાજપર ગામના રોહિત ડાયાભાઈ અગેચાણીયા (ઉ.વ.17), રોહિત ડાયાભાઈ અદગામા (ઉ.વ.17) અને રૂપેશ મનજીભાઈ ધોળકિયા (ઉ.વ.18) સવાર હતા.

ગઇ કાલે નવરાત્રિના છેલ્લા નોરતે ચારેય મિત્રો કારમાં રાજકોટ ગરબી જોવા માટે આવ્યા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ મીતાણા ગામ પાસે પહોંચ્યા ત્યારે ગોળાઈ પાસે કાર ઝાડ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનું પડીકું વળી જતા આગળ બેઠેલા જય ચાવડા અને રોહિત અદગામાંનું મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. જ્યારે અન્ય બે મિત્રોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.