Abtak Media Google News

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આવેલી મહારાજા હરીસિંહ હોસ્પિટલને આતંકીઓએ નિશાનબનાવી હતી. અને હોસ્પિટલની અંદર કેટલાંક ત્રાસવાદીઓએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં પોલીસના બે કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ એક ક્રિમિનલના મેડિકલ ચેકઅપ માટે કેટલાંક પોલીસ કર્મચારીઓ તેને મહારાજા હરીસિંહ હોસ્પિટલમાં લાવ્યાં હતા જ્યાં તેમના પર કેટલાંક અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે પોલીસ કર્મી ઘાયલ થયાં છે. હુમલા બાદ સિક્યોરિટી ઓફિસર્સે સમગ્ર વિસ્તારમાં ઘેરા બંધી કરી ફરાર આતંકીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.