Abtak Media Google News

 

મૃતક યુુવાન  માનસિક બીમાર હોવાનું  પરિવારજનોનું રટણ

 

અબતક,કિરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટા શહેરના દરબારગઢના પગથીયાથી નીચે મોજ નદીમાં એક 35 વર્ષીય દેવીપુજક યુવકની લાશ પડી હોવાની જાણ થતા તુરંત પોલીશ ઘટના સ્થળે દોડી આવેલ હતી અને લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી કોટેજ હોસ્પીટલ ખાતે ખસેડી સમગ્ર બનાવ અંગેની તેમના પરિવારની પુછપરછ હાથ ધરી છે .

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક શહેરના નાથાણી ફળીયા વિસ્તારમાં રહેતા અને વર્ષોથી છુટક તથા જથ્થાબંધ સિંધી માર્કેટ પાસે બટેટાનો વેપાર કરતા 35 વર્ષીય વિજય વિઠ્ઠલભાઇ સોલંકી ઉમર આ .35 ની લાશ હોવાનું જાણવા મળેલ છે.પોલીસપૂછ પરછ કરતા તેમના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ મૃતક વિજય માનસીક બિમાર હોય અને તેમની દવા પણ ચાલતી હોવાનું જણાવેલ અને રાત્રીના ત્રણેક વાગ્યે ઘરેથી નિકળી ગયેલ હતો રાતે મોબાઈલ પર 2 વખત વાત કરી હતી પરિવારે તેમની શોધખોળ કરતા મળેલ નહી તેથી તેમને પ્રાથમિક તપાસ માટે પોલીશને પણ જાણ કરી હોવાનું જણાવેલ  હતુ.

આ સમગ્ર બાબત બાદ ઉપલેટા શહેરના દરબારગઢ પાસે નદીમાંથી પોલીસને જે યુવકની લાશ મળી હતી તેની લાશ મૃતકનો મૃતદેહ જે તેની નજીકના પગથીયા પાસેથી લોહીના ખાબોચીયા પણ જોવા મળેલ છે અને સાથે જ થોડે દુર મૃતકના કપડા બેલ્ટ ઉપરાંત પગથીયાની બહાર મોબાઇલ પણ મળી આવેલ હતો.ત્યારે પોલીસે આ તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ અને પુછતાછ શરૂ કરેલ છે ત્યારે આસમગ્ર બનાવની તપાસ પોલીસ ભુપેન્દ્રભાઈ ચલાવી રહેલ છે અને સમગ્ર તપાસ બાદ સાચું કારણ સામે આવશે . જ્યારે પોસ્ટમોર્ટમ માં પ્રાથમીક તારણમાં યુવક પાણી માં ડૂબી જતાં પાણી પીવા થી મોતા થયાનું જાણવા મળેલ જ્યારેફોરેન્સિ પોસ્ટમોટમ નો રિપીટ

આવ્યા બાદ સાચું કરણ જાણવા મળશે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.