Abtak Media Google News

ચોખા ભરીને ગાંધીધામ જતી વેળાએ સર્જાયો અકસ્માત: પોલીસે કેબિન ચોરી ટ્રક સવારોને બહાર કાઢ્યા

વાંકાનેર ચોકડી પાસે ગઈ કાલે સાંજના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંધ વાહન પાછળ એક ચોખા ભરેલો ટ્રક ઘુસી જતા બનેવીની નજર સામે જ સાળાનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના પગલે રોડ પર ખાંડ અને ચોખા વેર વિખેર થઈ ગયા હતા. પોલીસે કેબિન ચીરીને ટ્રકમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર ચોકડી પાસે ગઈ કાલે સાંજના સમયે એક વાહનની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં સવાર રાધનપુર તાલુકાના લોદરા ગામે રહેતા પ્રહલાદભાઈ સોનજીભાઈ ઠાકોર (ઉ.વ.35) અને બનાસકાંઠાના દુધાસણા ગામના તેનો સાળો રોહિત ગણેશભાઈ ઠાકોર (ઉ.વ.19) ગંભીર રીતે ઘવાતા બંને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે ગંભીર રીતે ઘવાયેલા સાળા રોહિત ઠાકોરને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બનેવી પ્રહલાદભાઈ ઠાકોરની સારવાર ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસ કાફલો રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રહલાદભાઈ અને રોહિત ટ્રક લઈ ચોખા ભરીને ગાંધીધામ ઉતારવા જઈ થયા હતા. તે દરમિયાન વાંકાનેર ચોકડી પાસે ઉભેલા વાહનમાં ટ્રક ઘુસી જતા યુવાનનું મોત નિપજયાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.