Abtak Media Google News

રખડતા શ્વાનના ત્રાસથી લોકો માટે મોર્નિંગ વોક પર જવું પણ મુશ્કેલ : હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ જે દેસાઈએ સોમવારે જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓના ત્રાસને કારણે ઘણા નાગરિકો માટે મોર્નિંગ વોક કરવું મુશ્કેલ બની રહ્યું છે.

Advertisement

હાઇકોર્ટે એડવોકેટ કીર્તિકુમાર ભટ્ટ દ્વારા 2020 માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી, જેમાં નાગરિકોની સુરક્ષા પોલીસ તંત્રની ફરજ હોવાના આધારે આ જોખમ પર લગામ લગાવવા માટે પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

પીઆઈએલ છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડિંગ છે કારણ કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, જેણે હાઈકોર્ટને આ મામલે નિર્દેશો આપવા પર રોક લગાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સત્યમ છાયા દ્વારા જસ્ટિસ દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠને તેની જાણ કરવામાં આવી હતી.

એએમસીના વકીલે રજૂઆત કરી હતી કે નાગરિક સંસ્થા માત્ર એક ઔપચારિક પક્ષ છે. આના પર જસ્ટિસ દેસાઈએ પૂછ્યું હતું કે રખડતા કૂતરાઓના આતંકને કાબૂમાં લેવો એ તેનું કાર્ય છે ત્યારે નાગરિક સંસ્થા આ મુકદ્દમામાં માત્ર એક ઔપચારિક પક્ષકાર કેવી રીતે હોઈ શકે?

ન્યાયાધીશો વચ્ચેની ટૂંકી ચર્ચા પછી જસ્ટિસ દેસાઈએ એએમસીના વકીલને કહ્યું, કેટલાક લોકો આ રખડતા કૂતરાઓને કારણે મોર્નિંગ વોક માટે જઈ શકતા નથી. સુપ્રીમ કોર્ટના સ્ટેને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટએ સુનાવણી 17 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.