Abtak Media Google News

શાસ્ત્રીનગરમાં પ્રૌઢાએ ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું.

શહેરના કાલાવાડ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના સાતમાં માળેથી યુવાને પડતુ મૂકી આપઘાત કરી લીધો હોવાનું અને શાસ્ત્રીનગરમાં પ્રૌઢાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસ દફતરે નોંધાયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસહાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવાડ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં રહેતા હરેશ રાજેન્દ્રભાઈ વસાણી નામના ૨૦ વર્ષનાં યુવાનને બાઈક લેવાની ના પાડતા યુવાનને માઠું લાગી ગયું હતુ યુવાને સાતમાં માળેથી પડતુ મુકતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

જયારે બીજા બનાવમાં પોપટપરા વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં રહેતા કોકીલાબેન રામાભાઈ પરમાર નામના ૪૭ વર્ષના વણકર પ્રૌઢાએ કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગરનાં એએસઆઈ હરેશભાઈ રત્નોતર અને નરભેરામભાઈ પટેલ ફરિયાદના આધારે તપાસ ચલાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.