Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જાપીતી સંસ્થા જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય કાર્યકર રાજેશભાઇ ગુણવંતરાય લોઢીયા એ ત્રણ વાર પ્લાઝામાં ડોનેટ કરેલ છે અને આજે રાધારમણ સ્વામી, વિવેકસાગર સ્વામી, પોલીસ કમિશ્નર, મ્યુનિ. કમિશ્ન્ર, મેયર જેવા મહાનુભાવોની ઉ5સ્થિતિમાં 100મીવાર રકતદાન કરશે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજેશભાઇ લોઢીયા અને ઉમેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, આ 2022-23 ના વર્ષમાં જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા

1111 બોટલ રકતદાન એકત્રિત કરવાનું આયોજન કરેલ છે. જેમાં 861 બોટલ થઇ ગયેલ છે. આ સેવા કાર્યમાં આપને તા. 5-3 સવારે 9 થી ર રાણીગા  વાડી, સ્ત્રી કાન્તા વિકાસ ગૃહ રોડ ખાતે પધારવા આમંત્રણ છે. સાથે સાથે અંગદાન, ચક્ષુદાન, ત્વચાદાન, દેહદાનના સંકલ્પ પત્રો જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવશે અને કાર્ડ લેમીનેશન કરી તુરંત આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 303 ચક્ષુદાન, 31 દેહદાન, તથા પ સ્કીન ડોનેશન થયેલ છે. વધુ માહીતી માટે ચેરમેન ઉમેશ મહેતા મો. નં. 94285 06011 નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.