Abtak Media Google News

પાક.ની નાપાક હરકત

જાવકની પરમીશન અપાઈ ન હોવા છતાં ૧ હજાર જેટલી બોટો ફિશીંગ માટે નિકળી પડી

માછીમારીની સીઝનની શરૂઆત ૧૫મી ઓગસ્ટથી શરૂ થઈ ચુકી છે પરંતુ ખરાબ હવામાનને કારણે ઓખાની બોટોને જાવક પરમીશન અપાઈ ન હતી તેમ છતાં ૧ હજાર જેટલી બોટો ફિશીંગ માટે નિકળી પડી હતી ત્યારે તેમાની ચાર બોટોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. આ ચાર બોટમાં ૨૪ માછીમારો સવાર હતા.

Advertisement

પ્રાપ્ત થતી વિગત મુજબ માછીમારીની સિઝનનો પ્રારંભ થઈ ચુકયો છે પરંતુ ખરાબ હવામાન અને વરસાદની આગાહીના પગલે ઓખા મંડળેથી બોટની જાવક પરમિશન આપવામાં આવી ન હતી તેમ છતાં ઓખાથી ૧ હજાર જેટલી બોટો ફિશીંગ અર્થે નિકળી પડી હતી.

આ બોટ પૈકી ૪ બોટનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચાર બોટમાં ૨૪ માછીમારો સવાર હતા ત્યારે આ માછીમારોના પરીવારજનો ચિંતાતુર બન્યા છે. ચાર બોટના અપહરણનાં કિસ્સાએ અનેક તર્ક-વિતર્ક સર્જયા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.