Abtak Media Google News

બારામુલ્લામાં સુરક્ષા દળોએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં આતંકીઓએ શરૂ કર્યો ગોળીબાર, સેનાએ પણ વળતો જવાબ આપ્યો

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં એક ઓપરેશનમાં સુરક્ષા દળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. તે જ સમયે, આ ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, આ સમયે આતંકવાદીઓ કાશ્મીર ઘાટીમાં પોતાની યોજનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે, જેને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના કડક હાથે કામ કરી રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓ પણ આવા જ પ્રયાસમાં હતા. સરહદ પારથી મોટી માત્રામાં હથિયારો મોકલવામાં આવી રહ્યા છે, ભૂતકાળમાં આતંકવાદીઓએ અમરનાથ યાત્રાને લઈને પણ ધમકી આપી હતી. એટલા માટે સુરક્ષા દળો સતત સક્રિય છે અને આવી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદીઓની હાજરીની માહિતીને પગલે સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં બેરારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જો કે સેનાના એક જવાને શહીદી

વહોરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.