Abtak Media Google News

કરોડો રૂપિયાના વ્યાજના વિષચક્રમાં ફસાઈને ગામ છોડી ભાગી ગયેલા બિલ્ડર વલ્લભભાઈ સીદપરાના પુત્રએ ૨૭ વ્યાજખોરો સામે કરેલી ફરિયાદના કામે પકડાયેલા ત્રણ શખ્સની રેગ્યુલરમાં ત્રણ શખ્સની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલી છે.

રાજકોટમાં કેશવ રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઈ સીદપરાના પિતા વલ્લભભાઈ જમીન-મકાનનો ધંધો કરે છે અને તેમની નાણાની જરૂરીયાત ઉભી થતા વર્ષ ૨૦૧૩થી જુદા જુદા લોકો પાસેથી રકમ વ્યાજે લીધી હતી અને બાદમાં જમીન મિલકતો લખાવી લીધા હતા. મુદલ ઉપરાંત ૧૩.૧૭ કરોડ વ્યાજ ચુકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ અટકવાનું નામ ન લેતા તેમના પિતાને ઘર છોડવાની ફરજ પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.