Abtak Media Google News

ઉપલેટામાઁ આગામી રવિવારે નવાપરા યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

નવાપરા રામજી મંદીર ચોરાનું ભવ્ય જીણોઘ્ધાર કરી દેશની સેવા કરતા ફોજી સુબેદાર ના હસ્તે ભગવાન ની મૂર્તિનુ સ્થાપન કરી સમગ્ર શહેરને નવો રાહ ચિંઘ્યો હતો. આવી અનેક સામાજીક પ્રવૃતિ કરતું નવાપરા યુવક મંડળ દ્વારા માનવ જીંદગી અમૂલ્ય છે જે તે બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે.

લોહીની આસ્મિક જરુર કોઇપણ વ્યકિતને પડે કારણ લોહીના કોઇ વિકલ્પ નથી એક વખત રકતદાન કરવાથી આપ ત્રણ વ્યકિતની જીંદગી બચાવી શકો છો. આવા ઉમદા વિચારોને ઘ્યાનમાં રાખી નવાપરા યુવા ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આ ભગીરથ કાર્યમાં જોડાઇ ને જીવન બચાવવાનું ઉમદા કાર્ય કરવા તા. ૮-૭ ને રવિવાર સવારે નવ થી એક વાગ્યા સુધી નવાપરા ચોરા પાસે નવાપુરા રામજી મંદીર સાનિઘ્યમાં આયોજન કરેલ . વધુ વિગત માટે ૮૦૦૦૦ ૭૫૧૭૫ ઉપર સંપક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.