ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો સર્જાય છે. ત્યારે કેટલાક બનાવોમાં લોકો જીવન પણ ખોઈ બેસ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ધ્રાંગધ્રા માળવણ હાઈવે પાસે આવેલ દુદાપરગામથી એક કિ.મી. દૂર અમદાવાદ તરફ જતી ઈકો કાર નં જી.જે.૩ એચ.એ. ૨૫૧૩ના ચાલકે અચાનક પોતાની કાર પરથીકાબુ ગુમાવતા રોડની સાઈડ પર કાર ઉતરી જતા ઈકોકાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ઈકોકારમાં બેઠેલ અંદાજે સાતથી આઠ શખ્સોને નાની મોટી ઈજા થવા પામી હતી. ઈકોકાર પલ્ટી જતા હાઈવે પરથી નિકળતા ૧૦૮ના પાઈલોટ પ્રધ્યુમનસિંહ તાત્કાલીક પહોચી તમામ ઈજાગ્રસ્ત ૧૦૮ની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જયાં ૩ મહિલાઓને ગંભીર ઈજાઓ થતા તેઓને રીફર કરી અન્ય સામાન્ય ઈજા પામેલ દર્દીઓને સારવાર અપાઈ હતી. જોકેઆ બનાવમાં સદનસીબે કોઈ પણ જાનહાની થઈ ન હતી. હાલ ૩ મહિલા ઓ સહિત તમામ ઈજાગ્રસ્તો સુરક્ષીત હોવાનું મનાય છે.
Trending
- ગુજરાતની અમુલ્ય ધરોહરની ઝાંખી કરાવતા સંગ્રહાલયો
- ચૂંટણી પંચે મતદાન પુરૂ થયાના 48 કલાકમાં જ આંકડા જાહેર કરી દેવા પડશે
- 1130 મદરેસામાં ભણતરને લઈ ગેરરીતિની ફરિયાદો આવતા તંત્ર હરકતમાં
- સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ
- અંગ દઝાડતી ગરમી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી
- પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાવતા લોકોનો વિરોધ
- શું ચેન્નઈને પ્લે ઓફમાં જતાં બેંગ્લોર રોકી શક્શે?
- “અબતક” પાણીદાર અહેવાલનો પડઘો: ધોરાજીનો જળ પ્રશ્ર્ન થશે હલ રૂ.42.67 કરોડની પાણીની નવી લાઈન મંજૂર