Abtak Media Google News

Dsc 0040શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. પૌષધશાળા સ્થિત રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મહારાજનાં ૪૮માં જન્મોત્સવ અવસરે માનવતા મહોત્સવ ઉપલક્ષે જૈનમ ટીમ તથા શેઠ ઉપાશ્રયનાં સંયુકત ઉપક્રમે જૈનો માટે ડાયાબીટીશ અને થાઇરોઇડનાં સારવાર માટે નિ:શુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પ રાખવામાં આવેલ હતો.

જેમાં હોમિયોપથી ચિકિત્સક ડો. એન.જે. મેધાણી આ રોગના દર્દીઓને નિ:શુલ્ક દવા અને માગદશન આપવા હતા. માનવતા મહોત્સવના એ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ વ્યવસ્થિત લાભ લીધો હતો.

આ કેમ્પને સફળ બનાવવા માટે થઇ શેઠ ઉપાશ્રયે ટ્રસ્ટી મંડળની સાથે સાથે જૈમન ગ્રુપના રુષભભાઇ શેઠ, નિલેશભાઇ ભાલાણી તથા નિલેશભાઇ શાહ વિગેરે સક્રિય સભ્યો જોડાયેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.