ધોળકિયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં બીજા દિવસે અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લાનાં નવનિયુકત એડિ.કલેકટર પરીમલ પંડયાએ સહપરીવાર પધારી દીપ પ્રાગટય તથા આદ્યશકિતને પુષ્પહાર અર્પણ કરી વંદના કરી હતી. કૃષ્ણકાંતભાઈ તથા જીતુભાઈના આમંત્રણને માન આપી પધારેલા જૈન સમાજના અગ્રણી ઈશ્ર્વરભાઈ દોશી, બ્રહ્મ સમાજના અગ્રણી જર્નાદનભાઈ આચાર્ય, નટવરીનૃત્ય માળાના ડાયરેકટર હર્ષાબેન ઠકકર, બ્રહ્માકુમારી પુષ્પાબેન, બ્રહ્માકુમારી સુધાબેન, એન.સી.સી સકેન્ડ સહબટાલિયન રાજકોટના લેફટનન્ટ કર્નલ રોહિતસંઘસર સહપરિવાર પધારી ર્માં આદ્યશકિતની સ્તુતી વંદના કરી હતી. પ્રારંભ દીવડા રાસ સાથે હે જગજનની.., પાડીવાળા… કેશરિયો રંગ… એક છંદે… આપણ મલકમાં… કુમ કુમ કેરા… વગેરે રાસ ગરબાની રમઝટથી તથા આદ્યશકિતના ભકતગણની તાલીઓના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું.
Trending
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત