દ્વારકાના સ્વામિનારાયણ ભકિતધામ ખાતે ગઈકાલથી સદગુરુ સ્મૃતિ વંદના મહોત્સવ એવમ શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થયો છે. દ્વારકાના નાગેશ્વર રોડ પર આવેલ સ્વામિનારાયણ આશ્રમ ખાતે યોજાઈ રહેલ આ દિવ્ય મનોરથમાં વ્યાસપીઠ પરથી વકતા દ્વારકાના સ્વામી સરજુદાસજી સુમધુર રચનાત્મક શૈલીમાં સંગીતસભર કથાઅમૃતનું રસપાન ઉપસ્થિત હરિભકતોને કરાવી રહ્યા છે. આ દિવ્ય પ્રસંગોનો બહોળી સંખ્યામાં હરિભકતો કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે. આ સાથે હરિભકતોને રહેવા માટેનું સુવિધાયુકત સ.ગુ.ગોપાળાનંદજી સ્વામી યાત્રીક ભવનનું ઉદઘાટન, બ્રહ્મ ભોજન તેમજ મહાવિષ્ણુયાગ, યજ્ઞવિધિના આચાર્યપદે વેદપુરુષ ધીરેનભાઈ ભટ્ટ (નડીયાદ) આદિવિપ્રો વેદોકત વિધિથી કરાવી રહ્યા છે. કથાવાર્તા, યજ્ઞદર્શન તેમજ આચાર્ય મહારાજ તેમજ સંતગણોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં હરિભકતો એક સપ્તાહ સુધી ઉપસ્થિત રહેનાર છે. આ સમારોહ તા.૨૪ થી તા.૩૦ દરમ્યાન યોજાનાર છે
Trending
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે
- કાળઝાળ ગરમી વચ્ચે ડેન્ગ્યૂના ડાકલા: બે કેસ નોંધાતા દોડધામ
- સન્ડે ફન ડે: ફન સ્ટ્રીટમાં બાળકોએ રમી 30થી વધુ જુની વિસરાયેલી રમત
- રાજકોટ બેઠકની મતગણતરી 4 ઓબ્ઝર્વરની હાજરીમાં થશે
- શું ધોમધખતા તાપે તમારા પગ પર ચંપલના નિશાન છોડી દીધા છે?
- અંગ્રેજી સમયની માંગ પણ માતૃભાષા સાથેનું જોડાણ ખૂબ જરૂરી
- ગુજરાતી ફિલ્મ ‘સમંદર’નો યોજાયો પ્રિમિયર-શો
- હિટવેવની આગાહીને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ