જયારે આખી સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે ત્યારે અસરકારક પગલા ભરવા અનિવાર્ય. તાજેતરમાં ઓનલાઈન બિનખેતી હુકમોનાં વિતરણનાં એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીએ સહર્ષ સ્વિકાર કરેલ કે, મુખ્ય વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલ છે. આ સી.એમ.નાં સહર્ષ સ્વિકારને આવકારતા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ ભ્રષ્ટાચાર બાબતે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે,આજે રાજયભરમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દરેક ક્ષેત્રે વધી રહ્યો છે. ગુજરાત રાજયના દરેક વિભાગોમાં ટેબલે ટેબલે ખુલ્લે આમ કોઈપણ પ્રકારના ડર વગર ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. જાણે અજગરોએ ભરડો લીધો હોય તેવી પ્રતીતી દરેક ગુજરાતીઓને થઈ રહી છે ત્યારે ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર અંગેનો એકરાર ગણાવી વધુમાં જણાવેલ કે, આખા રાજયમાં હપ્તા રાજ ચાલી રહ્યું છે. ભાજપનાં રાજમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની રહ્યો છે તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવેલ છે ત્યારે સરકારે અસરકારક રીતે ભ્રષ્ટાચારને ડામવા માટે હિંમતપૂર્વક યોગ્ય પગલા લેવા જોઈએ તેવી દરેક ગુજરાતીઓની લાગણી અને માગણી એમ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ મંત્રી ભગુભાઈ વાળાએ તેમની યાદીમાં જણાવાયું છે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા