રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકિત કરવા માટે આજે સવારે જામનગરના જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોખંડેની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષ માટે ફરી યાર્ડના ચેરમેનપદે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને વાઈસ ચેરમેનપદે હરદેવસિંહ જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડને ફાળવવામાં આવનાર ૨૫ કરોડની ગ્રાન્ટમાંથી યાર્ડમાં ખેડુતોનો માલ બગડે નહીં અને પુરતી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખેડુતોની સુવિધા વધારવા માટે અમે સતત કામ કરતા રહીશું.
Trending
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે