રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ ગુજરાત સરકારનું વચગાળાના બજેટને આવકારી શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલએ ખરા અર્થમાં ખેડૂતો–ગરીબોને તેમજ વિવિધ વર્ગના લોકોને રાહત આપનારા બજેટમાં સરકારશ્રીએ ખેડૂતો માટે ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડની જોગવાઈ તેમજ વિજળી પૂરતા પ્રમાણમાં મળતી રહે તેવી વ્યવસ્થા જેમાં ૮ કલાકને બદલે ૧૦ કલાક વિજળી આપશે જેનાથી ખેડૂતોને રાહત થશે. ૧૬.૨૭ લાખ ખેડૂતોને ૧૫૫૭ કરોડની ઈનપુટ સહાય તથા પશુ દીઠ રૂ.૩૫ની સહાય ઉપરાંત ૨૩ લાખ ખેડૂતોને માટે થઇ ૨૨૮૫ કરોડનું ખાસ સહાય પેકેજ, ખેડૂતોને ઝીરો ટકે વ્યાજ ધિરાણ, ફાર્મ મિકેનાઈજેશન માટે ૫૦૦ કરોડની સહાય ઉપરાંત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં અને માં વાસ્તલ્ય યોજનામાં ૩ લાખ રૂપિયાને બદલે ૫ લાખ રૂપિયાની સહાય, આવક મર્યાદા રૂ.૩ લાખથી વધારીને રૂ.૪ લાખ કરવાનો નિર્ણય કરીને સરકારે તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને સહાય યોજના કરતા આ બજેટ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સુખ–સમૃદ્ધિ અને સુખાકારી વધારનારૂ અને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી હોવાનું રાજકોટ જીલ્લાના હોદેદારોએ જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે