રાજકોટની શિક્ષણ-સંસ્કાર અને નેતૃત્વના અભિયાનમાં જોડાયેલી સુપ્રસિઘ્ધ ધોળકિયા સ્કુલ સાંસ્કૃતિક ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષા સુધી અવારનવાર પોતાના પરફોર્મન્સ આપતી રહી છે. શાળા દ્વારા રાષ્ટ્રીય કક્ષાના ઉજવાય રહેલ વસંતોત્સવ ગાંધીનગર ખાતે પોતાની કૃતિની સફળ રજુઆત કરવામાં આવી. યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ધોળકિયા સ્કુલને લોકનૃત્ય રજુ કરવાનું આમંત્રણ મળેલું. જેમાં આહિર રાસની રજુઆત ધોળકિયા સ્કુલે કરીને ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકોને ડોલાવી દીધા હતા. આ કૃતિમાં ૧૬ વિદ્યાર્થીઓની ટીમે સુવ્યવસ્થિત સંકલન કરીને નૃત્યની રજુઆત કરી હતી. ટીમના તમામ મેમ્બર્સને શાળાનાં ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તો ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ