Abtak Media Google News

પાકિસ્તાનમાં આજે જોઇન્ટ સેશનમાં વડાપ્રધાન ઇમરાન ખાને સંસદમાં સંબોધન કર્યુ હતું. જેમાં વડાપ્રધાને કહ્યું કે, તેઓ ધરપકડ કરાયેલા ભારતીય પાઇલટને આવતીકાલે જ મુક્ત કરી દેશે. સંસદ સત્રની શરૂઆતમાં ઇમરાન ખાને કહ્યું કે, તેઓએ આ મુદ્દે નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવાના પ્રયત્નો પણ કર્યા હતા.

Advertisement

ભારતનું સખત વલણ

ભારતે સ્પષ્ટ કહ્યુ છે કે, તેના પાયલટ અભિનંદનને પાકિસ્તાન કોઈ જ શરત વગર મુક્ત કરે અને અમને સોંપી દે. પાયલટ અભિનંદનને કોઈ જ નુંકશાન ના પહોંચવું જોઈએ. ભારતે ધમકી આપતા કહ્યું છે કે, અમારા પાયલટને કંઈ જ ના થવું જોઈએ, નહીંતર ભારત કાર્યવાહી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.