Abtak Media Google News

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ બિન્દ્રાબિન તાડકેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારના રોજ આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘ દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૨૯ યુંગલોનાં લગ્ન કરવામાં આવ્યા હતા.

સંઘટન પ્રમુખ અનિલ પટેલ છેલ્લા ૮ વર્ષથી સમુહ લગ્નનું આયોજન કરતા હતા જેનો સેકડોમા જોડાઈને આદિવાસી સમાજ લાભ લેતા રહે છે. આજના આ અવસરે ચંદુભાઈ, વિવેક ધાડકર, અંકિતા પટેલ, હિતેશ સોલંકી, રાજકુમાર દહિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અનિલ પટેલે જણાવ્યું હતુ કે ૧,૧૧૧ યુગલોના વિવાહ કરાવવા અમારૂ લક્ષ્ય છે. જે અમે આવનાર ૫ વર્ષમાં પૂરૂ કરીશું આ સમુહ લગ્નમાં યુગલોને વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.