મોઝામ્બિકમાં ગત સપ્તાહે આવેલા ભયંકર અને વિનાશકારી વાવાઝોડાંના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. વાવાઝોડાંથી ઝિમ્બાબ્વેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે, અહીં ડઝનથી વધુ લોકોનાં મોત થયા છે અને 200થી વધુ લોકો ગુમ છે. ગુરૂવારથી ત્રાટકેલાં ઇદાઇ વાવાઝોડાંએ મોઝામ્બિકના બેરા શહેરને લગભગ નષ્ટ જ કરી દીધું છે. ભારે પવન અને પૂરના કારણે જાનમાલને નુકસાન થયું છે. પૂરના પાણીમાં અનેક મકાનો અને સડકો પણ વહી ગઇ છે. અત્યાર સુધી સત્તાવાર રીતે 84 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. સત્તાવાર મૃત્યુઆંક હવાઇ સર્વે બાદ સામે આવશે, પરંતુ એક અનુમાન છે કે, 1,000થી વધુ લોકોનાં મોત થયા છે. ન્યૂસીએ આ વાવાઝોડાંને ભયાનક આપદા ગણાવી છે. તેઓએ કહ્યું હતું કે, હજુ પણ એક લાખથી વધુ લોકોને જોખમ છે.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ રાજકોટ બેઠક પર સૌથી ઓછું અમરેલીમાં મતદાન
- આ કંપનીના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ……
- હવે મોટા મહાનગરોમાં એકછેડે થી બીજા છેડે પહોંચવા એર ટેકસી આવશે
- જેક ફ્રેઝર અને અભિષેક પોરેલે દિલ્હીની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
- નિયમિત સારસંભાળ થેલેસેમીયાથી બચવા માટે એક ઉત્તમ રસ્તો
- શાંતિપૂર્ણ મતદાન લોકશાહી માટે શુકનવંતું
- ક્રૂ મેમ્બર્સે એર ઇન્ડિયા એક્સપ્રેસનું ટેન્શન વધાર્યું
- દર વર્ષે વૈશાખ સુદ એકમથી સાડાત્રણ દિવસ ઉપવાસ કરે છે કાઠી દરબાર