ધોરાજી શહેરની જનતાને પીવા માટે જામકંડોરણા ખાતે આવેલ ફોફળ ડેમમાંથી પીવાનું માટેનું પાણી પાઈપલાઈન મારફતે મળતું હતુ. ચાલુ વર્ષે ફોફળ ડેમમાંથી પાણી ખલાસ થઈ જતાં ડેડ સ્ટોકમાંથી પાણી પંપીગ કરી ઉપાડવામાં આવતુ હતુ. જે પાણી શહેરની જનતાને પુરૂ ડતું ન હતુ અને સપ્લાય એ રેગ્યુલર રહેતા લોકોમાં ફરીયાદ ઉઠી હતી જેથી ધારાસભ્ય તથા અધિકારીઓ અને નગરપાલીકાના હોદેદારોએ તાત્કાલીક નર્મદા પાઈપલાઈનમાંથી પાણી મેળવવા માટે કવાયત ચાલુ કરી તેના પરીણામ સ્વરૂપે આજથી ધોરાજીની જનતાને રેગ્યુુલર પાણી મળતું થશે. તેમ વોટર વર્કસ કમીટીના ચેરમેન અમીશભાઈ અંટાળાએ જણાવ્યું હતુ.નર્મદાનું પાણી મળે તે માટે ધારાસભ્ય નગરપાલીકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવતા આ પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો હતો.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…