દેશની એકતા અને અખંડિતતા માટે કલંકપ એવી બંધારણની કલમ ૩૫-એ તથા ૩૭૦ને જમ્મુ-કાશ્મીરમાંથી નાબુદ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જયારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાને કેન્દ્ર શાસિત પ્રદેશ જયારે લદાખને વિધાનસભા વગર કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો આપવામાં આવ્યો છે. આ પ્રદેશમાં રહેતા ભારતીયોની સલામતી અને સુરક્ષામાં વધારો થાય અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાય રહે તે માટે દેશહિતનાં નિર્ણયમાં પગલા લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આ ઠરાવ રજુ કર્યો હતો જેને નિતીન ભારદ્વાજે ટેકો આપતા જનરલ બોર્ડમાં ઠરાવ સર્વાનુમતે પાસ થયો હતો. આ ઉપરાંત આજે જનરલ બોર્ડમાં ૩ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત ઉપરાંત ૮ મુળ દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી જેમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ, ગ્રાસ હોકી ગ્રાઉન્ડનું ભાડુ તથા ફુટબોલ ગ્રાઉન્ડનું ભાડુ નકકી કરવા તથા નિયમ ઘડવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર