Abtak Media Google News

કરૂણા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી બીમાર, ઘવાયેલા, અશકત વયોવૃઘ્ધ પશુ-પક્ષીઓની સ્થળ ઉપર વિનામૂલ્યે સારવાર કરતી એનીમલ હેલ્પલાઇન સેવારત છે. જેના દ્વારા અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા નીરાધર પશુ-પક્ષીઓને નિ:શુલ્ક સારવાર તેમજ જીવતદાનનો લાભ મળ્યો છે. ત્યારે હાલમાં જ જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઇ શેઠ, ઋષભભાઇ શેઠના નિવાસસ્થાને પધારેલાગુજરાત રત્ન પુ. લોકેસમુનીજી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સેવારત આચાર્ય શ્રુતપજ્ઞજીએ કરુણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઇનની પ્રવૃતિઓની વિસ્તૃત માહીતી  જાણી અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી.

Advertisement

આ ત્રણેય સંતોએ આગામી દિવસોમાં સંસ્થા દ્વારા વૈશ્ર્વીક સ્તરે ગૌસેવા, જીવદયા, શાકાહાર, અભયદાન, જેવી પ્રવૃતિઓનો વ્યાપ્ત વધતો રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ તબકકે એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંધાણી, એડવોકેટ કમલેશભાઇ શાહ તેમજ ચંદ્રકાંતભાઇ શેઠ, ઋષમભાઇ શેઠ, મયુરભાઇ શાહ, લાઇફ સંસ્થાના ચંદ્રકાંતભાઇ કોટીચા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.