જસદણ માર્કેટ યાર્ડ આજે સોમવાર સવારથી પખવાડીયા પછી ફરી ધમધમી ઉઠયું હતું. અને રાબેતા મુબ કર્મચારીઓ વેપારીઓ કામે વળી ગયાહતા. દેશભરમાં જીએસટી લાગુ પડયાં બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડો એ પણ વિરોધ દર્શાવ્યો હતો. જે અંગે જસદણ યાર્ડ પણ આ ટેકામાં જોડાયું હતુ૦ અને અંદાજીત પખવાડીયા જેટલુ યાર્ડ બંધ હતું પરંતુ આજે સોમવારે જસદણ માર્કેટ યાર્ડ ના ચીફ સેક્રેટરી બળવંતભાઇ રોહલીયા ની સુચના અનુસાર યાર્ડ ખુલ્લી જતાં ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. યાર્ડ આજે સવારથી જ ધમધમતું થતાં જસદણ વીછીંયા પંથકના ખેડુતોમાં રાજીપો છવાયો હતો.
Trending
- ભારત ટી ટ્વેન્ટી વિશ્વકપનો વોર્મઅપ મેચ 1લી જૂને બાંગ્લાદેશ સામે રમશે
- વંથલીના રવની ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો : સાત આરોપીઓની ધરપકડ
- આવો પ્રશ્ન મનમાં ઘૂમે છે કે મચ્છરો કેમ માથા પર ઘૂમે છે..?
- કોર્પોરેશન દ્વારા કરાય ડેંગ્યુ દિવસની ઉજવણી
- ચૂંટણી પરિણામ બાદ શહેરમાં મોટા ફેરફારના એંધાણ
- માવઠાનો માર ખેડૂતો માટે અસહ્ય જ હોય
- શહેરમાં તસ્કરોનો તરખાટ : ફકત 3 દિવસમાં પાંચ ચોરીની ઘટનાથી ચકચાર
- 18 મે શનિવારના રોજ NSE અને BSE દ્વારા સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન