Abtak Media Google News

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ઢોરે અડફેટે લેતે એનક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે જ્યાં ઢોરે વ્યક્તિને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટના સાધુ વાસવાણી રોડની છે જ્યાં માર્કેટિંગયાર્ડના કમિશન એજન્ટ રસિક ઠકરારને ગાયે હડફેટે લેતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Screenshot 4 5
ભાવનગરમાં બે અઠવાડિયા રખડતા ઢોરના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો આંતક એટલી હદે વધ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. છે. દિવાળીના પર્વ પર 28 વર્ષનાં યુવાન કિશોર ગુજરાતીએ રખડતા આખલાના કારણે જીવ ગુમાવતા પરિવારમાં બે નાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કિશોર ગુજરાતી નામનો યુવાન ભાવનગરથી ખરીદી કરીને પરત પોતાના ગામ દુધાળા જઈ રહ્યો હતો એ દરમિયાન માલપરા ગામે રખડતા આખલાએ અડફેટે લેતા મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.