Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે મંગળવારે વહેલી સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં CRPFના એક જવાન પણ શહીદ થયા છે. અત્યારે હાલ એન્કાઉન્ટર ચાલે છે અને બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે.

સેનાને પુલવામાના બંદૂજ વિસ્તારમાં અંદાજે 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ત્યારપછી પોલીસ અને અર્ધસૈન્યબળે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.