જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તથા JITO ના પ્રેરક આચાર્ય ભગવંત પૂ.નયપદ્દમસાગરજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતમાં થોડા સમય પૂર્વે મુંબઈમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જીવદયા રત્ન તરીકે સન્માનિત કરેલ. જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને જીતો ના ગુજરાતના પ્રમુખ રાજુભાઈ કેસ્ટ્રોલે જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી અમો આદરણીય વિજયભાઈ સાથે કાયે કરીએ છીએ.કોલેજના જી એસ થી લઈને મુખ્ય મંત્રી સુધીની તેઓની સફર લોકોના કલ્યાણ કાજે તથા જીવદયા માટે સદા તત્પર રહે છે.વિજયભાઈ હર હંમેશ કહે છે કે હું તો કોમન મેન છું. સમગ્ર ભારતના રાજ્યોમાંથી એક માત્ર જૈન મુખ્ય મંત્રી એવા શ્રી વિજયભાઈ રૂપાણીને ૬૪ માં જન્મ દિન અવસરે રાજુભાઈ કેસ્ટ્રોલ તથા સમસ્ત જૈન સમાજ તરફથી શુભેચ્છા, શુભકામના સહ અભિનંદન. આચાર્ય ભગવંત પૂ.નયપદ્દમસાગરજી મ.સાહેબે પણ વિજયભાઈ ઉપર કૃપાશિષ વરસાવતા કહ્યું કે માનવતા,જીવદયાના પ્રેરક કાર્યો કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાજેન કરતાં રહેજો તેવા ગુરુવર્યોના આશીર્વાદ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે