કાલાવડનાં નવા માર્કેટ યાર્ડ ખાતે તા.૧૦ને ગુરુવારે સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકાના તમામ ખેતી સાથે સંકળાયેલા ખેડુત ભાઈઓને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહિવટી તંત્રએ અપીલ કરી છે. આ સાત પગલા ખેડુત કલ્યાણના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારનો કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ), પૂનમબેન માડમ (સાંસદ, જામનગર), નયનાબેન પી.માધાણી (પ્રમુખ જિલ્લા પંચાયત-જામનગર), રાઘવજીભાઈ પટેલ (ધારાસભ્ય ગ્રામ્ય જામનગર), ચિરાગભાઈ કાલરીયા (ધારાસભ્ય જામજોધપુર), પ્રવિણભાઈ મુસડીયા (ધારાસભ્ય કાલાવડ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે