Abtak Media Google News

તાજેતરમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે ગીર સોમનાથ જીલ્લાના સૌ પ્રથમ એવા અગ્રણી એડવોકેટ શ્રી મહેન્દ્રસિંહ વાળા ની નિયુકત થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરીવાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.શ્રી મહેન્દ્રસિંહ વાળા છેલ્લા કેટલાય સમયથી સોમનાથ વિસ્તારમાં વિવિધ સમાજ ઉપયોગી સેવા કાર્યો અને શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે સંકલન કરી વિવિધ સેવા પ્રકલ્પોમાં સહભાગી થઇ સેવા આપી રહેલ છે ત્યારે શ્રી વાળા ની ગીર સોમનાથ જીલ્લામાંથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય પદે નિયુકતી કરવામાં આવતા તેમનું સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, શ્રી સુરૂભા જાડેજા, શ્રી જીતુપુરીબાપુ, શ્રી ઉમેદસિંહ જાડેજા તથા સ્ટાફ મીત્રોની ઉપસ્થિતીમાં સાગરદર્શન હોલ ખાતે વિશીષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે શ્રી મહેન્દ્રસિંહ વાળા ને રજવાડી સાફો પહેરાવી સોમનાથ મહાદેવની પ્રસાદ સાથે ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું તેમજ આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન અને સંકલન શ્રીમીલનભાઇ જોષીએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.