ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન પછી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે, મેં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મત નથી આપ્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતવાની નથી તેથી મેં અહમદ પટેલને મત નથી આપ્યો. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ ગઈ હતી એ સાવ ખોટું પગલું હતું. આમાંતી પણ 4થી 5 કોંગ્રેસી ક્રોસ વોટિંગ કરી શકે છે. નોંધનીય છે કે અગાઉ શંકરસિંહે જાહેર કર્યું હતું કે, પોતે રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલને મત આપશે પણ તેમણે આજે મત નહોતો આપ્યો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો